પ્રફુલભાઈએ નિર્માણાધિન ભારતીય જનતા પાર્ટી કાર્યાલયની લીધી મુલાકાત : કાર્યાલય બન્યા બાદ કાર્યકર્તાઓ વધુ મજબૂતાઈથી લોકસેવામાં જોડાશે
- 06 Mar, 2024
મોરબી ખાતે નિર્માણાધિન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા એ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી, ત્યારબાદ મંત્રીએ કાર્યાલયની પાયાના સ્તરે થઈ રહેલ કામગીરીની તલસ્પર્શી જાણકારી મેળવી હતી અને તેનું નિરીક્ષણ પણ મંત્રીએ જાતે કર્યું હતું. ઉપરાંત મંત્રીએ અદ્યતન અને સુવિધાસભર કાર્યાલય બનાવવા જરૂરી સૂચનો પણ કર્યા હતા. એ સાથેજ તેમણે જણાવ્યું હતું કે આ કાર્યાલય બન્યા બાદ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ વધુ મજબૂતાઈ થી લોકસેવામાં જોડાશે અને વધુ લોકોને ભારતીય જનતા પાર્ટીના જનસેવાના કાર્યોમાં જોડવામાં મદદ થશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ